મન કી બાત કાર્યક્રમના ૧૦૦માં એપિસોડ નું આજરોજ 11:00 વાગે મોરબીના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે પ્રસારણ.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ સવારના 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમ ના 100 માં એપિસોડ નું પ્રસારણ કરવામાં આવવાનું હોય ત્યારે મન કી બાત કાર્યક્રમ નું પ્રસારણ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ લાઈન ખાતે રાખવામાં આવેલ છે તેમજ બી ડિવિઝન તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સાર્થક સ્કૂલ મોરબી ખાતે રાખવામાં આવેલ છે ઉપરાંત હળવદ પોલીસ સ્ટેશન દ્વારા જુના પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે તેમજ વાંકાનેર સિટી પોલીસ તથા વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વાંકાનેર પોલીસ લાઈન ખાતે રાખવામાં આવેલ છે તેમજ ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા આર્ય સમાજ ટંકારા ખાતે રાખવામાં આવેલ છે ઉપરાંત માળીયા મીયાણા પોલીસ સ્ટેશન દ્વારા શીતળા માતાજીના મંદિર પાસે રાખવામાં આવેલ છે ત્યારે આ કાર્યક્રમને નિહાળવા માટે પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ તથા પોલીસ પરિવારનું તેમજ હોમગાર્ડ જીઆરડી હાજર રહેવાના છે ઉપરાંત મન કી બાત કાર્યક્રમમાં જોડાવા સ્થાનિક આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો ને મોરબી પોલીસ દ્વારા ભાવભર આમંત્રણ આપવામાં આવ્યું છે.





