ટંકારા નજીક ખોડિયાર આશ્રમ સામે ઝિજવા નદીના ચેકડેમમા પડી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારામા બાબુભાઈની વાડીએ રહેતા શંકરભાઈ બદિયાભાઈ ભિલવાળ (ઉ.વ.૨૩) નુ ચેકડેમના પાણીમા પડી ડુબી જતા મોત નિપજ્યું હતું. ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.





