મોરબીમાં રોડ-રસ્તાની સમસ્યાને લીધે અવારનવાર જીવલેણ અકસ્માતો થાય છે. મોરબી જિલ્લામાં વિવિધ મંજુર થયેલ ઓવરબ્રિજ તેમજ ફોરલેન રસ્તા બનાવવાનું કામ શરુ કરાવાની માંગ સાથે ટંકારાના સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ટંકારાના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા જણાવ્યું છે કે મોરબી હળવદ રોડ, મોરબી નવલખી ફોરલેન રોડ, મોરબી જેતપર રોડ ફોરલેનનું કામ સાથે મહેન્દ્રનગર ઓવરબ્રીજનું કામ વહેલી તકે કામ શરૂ થાય જેથી બનતા અકસ્માતના બનાવોમાં ઘટાડો આવી શકે