ગોધરા:- ચારણ ગઢવી સમાજને ઓબીસીના લાભો ચાલુ રાખવા બાબતે કલેકટરને રજૂઆત.
ચારણ ગઢવી સમાજને ઓબીસીના લાભો ચાલુ રાખવા બાબતે પંચમહાલ ગોધરા ના કલેકટરને આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ પંચમહાલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆત માં જણાવ્યું હતું કે ,ચારણ ગઢવી સમાજ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં લઘુમતીમાં હોવાથી તેમનો અવાજ સરકાર સુધી યોગ્ય રીતે પહોંચી શકતો નથી વર્ષો સુધી મોટાભાગનો સમાજ પશુપાલન વ્યવસ્થા સાથે જોડાયેલો હતો જે મોટેભાગે જંગલ ઉપર આધારિત હતો હાલમાં ગીર તથા બરડામાં છે તે મુજબ વર્ષો અગાઉ સરકાર શ્રી એ પુના વસવાટ માટે જંગલની જમીન ફાળવી દીધેલી હોય ત્યારે કાયમી વ્યવસાય પડી ભાંગે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ હોવાથી શિક્ષણ મેળવી શકતા નહોતા જેથી અશિક્ષિત હોવાથી પોતાના ગીતોનું રક્ષણ કરી ન શક્યા હોય માટે ચારણ ગઢવી સમાજ સમાજની દ્રષ્ટિએ આર્થિક શૈક્ષણિક તથા સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ પછત રહી ગયેલ હોય ત્યારે ચારણ ગઢવી સમાજને ઓબીસીના લાભો ચાલુ રાખવા રજૂઆત કરવામાં આવી છે.





