કબીર કોહિનૂર સાહિત્ય અનુવાદ એવોર્ડ તથા કબીર એવોર્ડ થી ડૉ ગુલાબચંદ પટેલ દિલ્લી ખાતે સન્માનિત

ભારત ભૂષણ ડૉ નાનક દાસ સંત કબીર આશ્રમ નાગૌર રાજસ્થાન ના માર્ગદર્શન હેઠળ સાહિત્યકાર શ્રી અભિષેક જી દ્વારા હિન્દી માં લખાયેલ પુસ્તક નો અનુવાદ ગાંધીનગર ગુજરાત ના હિન્દી ગુજરાતી કવિ લેખક, અનુવાદક અને પત્રકાર ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા ગુજરાતી મા અનુવાદ કરવામાં આવેલ છે. તે બદલ સદ્ ગુરુ કબીર ના 505 માં મહાનિર્વાણ દિવસ તારીખ 5 ફેબ્રુઆરી 2023 ના રોજ ડૉ अम्बेडकर આંતર્રાષ્ટ્રીય ભીમ હોલ નવી દિલ્હી ખાતે આયોજીત ભવ્ય કાર્યક્રમમાં “કબીર કોહિનૂર સાહિત્ય અનુવાદ પુરસ્કાર થી ડૉ ગુલાબ ચંદ પટેલ ને ફુલ માળા ટ્રોફી અને સન્માન પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે લખનૌ થી પ્રસિદ્ધ ગાયિકા સંગીતકાર તેમજ તાલ સૂર સંગમ ની સંચાલિકા જયા શ્રીવાસ્તવ એ ડૉ પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.



ડૉ ગુલાબ ચંદ પટેલ
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય મંચ ગાંધીનગર Mo 8849794377





