આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત આજરોજ મોરબી ટાઉનમાં એસીબી પોલીસ સ્ટેશન મોરબી દ્વારા એક સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું જે રેલી શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી 1064 તેમજ વિગતો સાથે ની પેમ્પલેટ નું વિતરણ કરી લોકોમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા સમજ આપી લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. જાગૃત લોકો ભ્રષ્ટાચાર સામે આવાજ ઉઠાવે તેમજ ભ્રષ્ટાચાર નાબુદ થાય તે અંગે લોકજાગૃતિ ના પ્રયાસો મોરબી પોલીસ દ્વારા શહેર ના મુખ્ય માર્ગ પર રેલી કાઢી લોકજાગૃતિ નો એક અનેરો પ્રયાસ કરાયો હતો.






